બે વેબ-શોમાં જોવા મળશે દિયા મિર્ઝા
દિયા મિર્ઝા
દિયા મિર્ઝા છેલ્લે ‘સંજુ’માં માન્યતા દત્તના રોલમાં જોવા મળી હતી. ‘સત્યમેવ જયતે’ના પ્રોડ્યુસર નિખિલ અડવાણીના હિસ્ટોરિકલ શોમાં દિયા મિર્ઝા જોવા મળવાની છે. આ સિવાય પણ તે એક શોમાં જોવા મળશે. આ વિશે દિયાએ કહ્યું હતું કે ‘એક શો નિખિલ અડવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ એક એપિક શો છે. હિસ્ટોરિકલ શોમાં કામ કરવું મારા માટે એક સપના જેવું છે. હું આ શોમાં ફરી શબાના આઝમી સાથે કામ કરીશ. તેમ જ રૉનિત રૉયને ઍક્ટર તરીકે હું ખૂબ જ પસંદ કરું છું અને તેમની સાથે કામ કરવા માટે હું આતુર છું. મારો બીજો શો એક સત્યઘટના પર આધારિત ડ્રામા છે. એમાં હું ફીમેલ લીડમાં છું અને એ ખૂબ જ ડિલિશ્યસ પાર્ટ છે.’
આ પણ વાંચો : કંગનાને હાર્ડ વર્કને કારણે હંમેશાં યાદ કરવામાં આવશે : અનુપમ ખેર
ADVERTISEMENT
ફિલ્મોમાં મહિલાઓ માટે સારાં પાત્રો લખવામાં આવી રહ્યાં ન હોવાથી ડિજિટલ પ્લૅટફૉર્મ તેમના માટે ખૂબ જ સારી તક પૂરી પાડી રહ્યું છે. વેબ-શોમાં મહિલાઓ માટે ખૂબ જ સારાં અને મહત્વનાં પાત્રો લખવામાં આવી રહ્યાં છે
- દિયા મિર્ઝા