ઝોયાએ કહ્યું કે ‘જે એક બાબત તરફ મારું ધ્યાન ગયું એ એ છે કે ‘ધ આર્ચીઝ’ના પોસ્ટર પર સાત કિડ્સ છે.
ઝોયા અખ્તર
ફિલ્મમેકર ઝોયા અખ્તરે મીડિયાની જ ઝાટકણી કાઢી છે. એનું કારણ છે તેની આગામી ફિલ્મ ‘ધ આર્ચીઝ’. વાત એમ છે કે તેણે મીડિયાની એમ કહીને નિંદા કરી છે કે આ ફિલ્મના પોસ્ટરમાં સાત યંગસ્ટર્સ છે; પરંતુ મીડિયા માત્ર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર અને શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગસ્ત્ય નંદાની જ ચર્ચા કરે છે. આ ફિલ્મ સાત ડિસેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ઝોયાનું કહેવું છે કે માત્ર સ્ટાર કિડ્સની જ ચર્ચા કેમ કરવામાં આવે છે. એ વિશે ઝોયાએ કહ્યું કે ‘જે એક બાબત તરફ મારું ધ્યાન ગયું એ એ છે કે ‘ધ આર્ચીઝ’ના પોસ્ટર પર સાત કિડ્સ છે. નેટફ્લિક્સ અને અમારા પ્રોડક્શન ટાઇગર બેબી પ્રોડક્શન્સે પોસ્ટર પર એ સાતેય બાળકોને દેખાડ્યાં છે, પરંતુ મીડિયા માત્ર ત્રણ યુવાઓની જ ચર્ચા કરે છે. બાદમાં અમારા તરફ નેપોટિઝમને લઈને આંગળી ચીંધશે. ખરેખર તો તમે લોકો જ છો જે અન્ય ચાર લોકોની તરફ ધ્યાન નથી આપતા. એ ખરેખર દુ:ખદ બાબત છે. અમે સાતેય બાળકોને પોસ્ટર પર દેખાડ્યાં છે, પરંતુ તમે એ ચાર તરફ ધ્યાન નથી આપતા. ઘણા લોકો મારી પાસે આવીને કહે છે કે તમે ત્રણ સ્ટાર કિડ્સને કાસ્ટ કર્યાં છે. તો તેમને હું જવાબ આપું છું કે ટ્રેલરમાં સાત બાળકો છે. તમને જાણ છે એ ચાર બાળકોનાં નામ શું છે? તેમના તરફ જોવાની તમે તસ્દી લીધી? એ ચાર બાળકોની તરફ ધ્યાન નથી અપાયું એથી અમને પણ દુ:ખ થાય છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)