Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કિં‍‍શુક વૈદ્ય બીજી વખત બનશે અર્જુન

કિં‍‍શુક વૈદ્ય બીજી વખત બનશે અર્જુન

Published : 04 March, 2020 12:45 PM | IST | Ahmedabad

કિં‍‍શુક વૈદ્ય બીજી વખત બનશે અર્જુન

કિંશુક વૈદ્ય

કિંશુક વૈદ્ય


સ્ટાર પ્લસ પર એક સમયે બાળકોની ફેવરિટ સિરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’નો સંજુ ઘણાને હજી પણ યાદ હશે. આ સંજુ એટલે કે કિંશુક વૈદ્ય એ પછી ‘એક રિશ્તા સાઝેદારી કા’, ‘કર્ણ સંગિની’, ‘જાત ના પૂછો પ્રેમ કી’, ‘ઇશ્ક સુભાન અલ્લાહ’ જેવા ટીવી-શોમાં જોવા મળ્યો છે અને હવે ‘રાધાકૃષ્ણ’માં અર્જુનના પાત્રમાં જોવા મળશે. ‘રાધાકૃષ્ણ’ સ્ટાર ભારતનો પૉપ્યુલર માઇથોલૉજિકલ શો છે જેમાં સુમેધ મુદગલકર (કૃષ્ણ) અને મલ્લિકા સિંહ (રાધા) મુખ્ય કલાકારો છે. આ શોમાં તાજેતરમાં સત્યભામાની એન્ટ્રી થઈ છે અને એ પાત્ર આલિયા ઘોષ ભજવી રહી છે. ઉલ્લેખનીય છે કે કિંશુક વૈદ્યએ અગાઉ સ્ટાર પ્લસની ટીવી-સિરીઝ ‘કર્ણ સંગિની’માં પણ અર્જુનનો રોલ કર્યો હતો અને હવે સિદ્ધાર્થ કુમાર તિવારીના શો ‘રાધાકૃષ્ણ’માં પણ અર્જુન તરીકે દેખાશે. કિંશુક વૈદ્ય મરાઠી ફિલ્મો તેમ જ અજય દેવનની ફિલ્મ ‘રાજુચાચા’માં પણ અભિનય કરી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:45 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK