બોમ્બે ફ્લાવર નાટક 26મી માર્ચે એનસીપીએ દ્વારા પ્રસ્તુત થશે અને તેના ડાયરેક્ટર છે આઇડિયાઝ અનલિમિટેડના મનોજ શાહ. રતનબાઈ પેટીટનું પાત્ર ભજવે છે જાણીતી અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે મનોજ શાહ, ભામિની ઓઝા ગાંધીની સાથે જોડાયા નાટકના લેખક ગીતા માણેક. શા માટે મોહંમદ અલી જિન્નાનાં બીજા પત્નીથી ઓળખાતાં રતનબાઈ પેટીટ પર આ નાટક બનાવવાનું નક્કી કરાયું, શા માટે તેને પરફોર્મ કરવું અઘરું હતું અને લેખન કાર્યમાં આવી શું મુશ્કેલીઓ? આ રસપ્રદ સવાલોના જવાબ માટે જુઓ આ વિશેષ મુલાકાત.