જુહી બબ્બર સોની (Juhi Babbar Soni)ના એકજૂટ થિએટર ગ્રૂપ દ્વારા તાજેતરમાં જ નાટક `વિથ લવ આપકી સૈય્યારા`ના (With Love Aap Ki Saiyaara) 50 શો પુરા કરવામાં આવ્યા છે. આ નાટક જુહી બબ્બર સોનીએ જ લખ્યું છે, ડાયરેક્ટ કર્યું છે અને તેમાં એક પાત્રીય અભિનય કર્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે આ નાટક અંગે વાત કરી ત્યારે થિએટર સાથેનું તેમનું જોડાણ, આ નાટકના પાત્રની ખાસિયત અને પોતે કેવું કામ કરવા માંગે છે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.