રાનીને અનસંગ વૉરિયર જણાવી કાજોલે
‘મર્દાની 2’ને મળી રહેલી સફળતાને જોતા કાજોલે રાની મુખરજીને અનસંગ વૉરિયર જણાવી છે. કાજોલ અને અજય દેવગન ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં સાથે જોવા મળવાનાં છે. ‘મર્દાની 2’માં રાની પોલીસ ઑફિસર શિવાની શિવાજી રૉયની ભૂમિકામાં જોવા મળી રહી છે, જે અપરાધીઓને યોગ્ય સજા ફટકારીને ક્રાઇમને ઘટાડવા માટે કટિબદ્ધ છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. રાનીનાં દમદાર પર્ફોર્મન્સને જોતાં ટ્વિટર પર કાજોલે ટ્વીટ કર્યું હતું કે ‘વધુ એક અનસંગ વૉરિયર. ‘મર્દાની 2’ માટે રાની તારા પર ગર્વ છે.’