ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅમિલી સાથે વધુ સમય પસાર કરવા હું ટાઇમ ફાળવી લઉં છું : શાહિદ કપૂર

ફૅમિલી સાથે વધુ સમય પસાર કરવા હું ટાઇમ ફાળવી લઉં છું : શાહિદ કપૂર

26 February, 2023 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂર તેની ફૅમિલી સાથે વધુ સમય પસાર કરી શકે એ માટે તે ટાઇમ ફાળવી લે છે.

શાહિદ કપૂર પરિવાર સાથે

શાહિદ કપૂર પરિવાર સાથે

શાહિદ કપૂર તેની ફૅમિલી સાથે વધુ સમય પસાર કરી શકે એ માટે તે ટાઇમ ફાળવી લે છે. તે પોતાની ફૅમિલીને વધુ મહત્ત્વ આપે છે. સાથે જ વાઇફ મીરા રાજપૂતની સમજદારીની પણ તે પ્રશંસા કરે છે. ૨૦૧૫માં શાહિદ અને મીરાનાં લગ્ન થયાં હતાં. તેમને મીશા અને ઝૈન નામનાં બે બાળકો છે. પરિવારને વધુ સમય આપવા વિશે શાહિદે કહ્યું કે ‘મારી ફૅમિલી ચાહે છે કે હું તેમની સાથે વધુ સમય પસાર કરું. મારાં બાળકો મારી સાથે સમય પસાર કરવા માગે છે અને તેમની આ ડિમાન્ડને હું નકારી નથી શકતો. મારી સુંદર વાઇફ ખૂબ સમજદાર અને સપોર્ટિવ છે. તે મારા કામને સમજે છે, એથી હું પણ કુટુંબ માટે સમય કાઢી લઉં છું. કોવિડ દરમ્યાન એક સૌથી મોટી વસ્તુ શીખવા મળી છે કે ફૅમિલી, તમે જેને 
ચાહતા હો તેને માટે સમય ફાળવવો એ ખૂબ અગત્યનું છે. હું એ વાતથી સજાગ છું.’


26 February, 2023 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK