બદલાવ લાવવો હોય તો વોટ કરો : વિદ્યા બાલન
વિદ્યા બાલન
વિદ્યા બાલને પણ તેના ચાહકોને વોટિંગ કરવા માટે અપીલ કરી છે. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ સેલિબ્રિટીઝને વિનંતી કરી છે કે તેઓ લોકોનો વોટ કરવા માટે અપીલ કરે. લોકોને અપીલ કરતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે આપણે સોસાયટી અને દેશમાં બદલાવ લાવવા માગતા હોય તો આપણે પણ એમાં ભાગ લેવો પડે છે અને એ માટે સૌથી પહેલું સ્ટેપ છે વોટિંગ. વોટ આપવો એ આપણો હક અને આપણી જવાબદારી છે. એકબીજા તરફ આંગળી ચીંધવાથી આપણને કંઈ મળવાનું નથી.
આ પણ વાંચો : મારી બન્ને આંગળીઓ ઘીમાં હોય તો વાંધો શું છે: અક્ષયકુમાર
ADVERTISEMENT
પૉઝિટિવ બદલાવ માટે આપણે આપણી આંગળી પર ઇન્ક લગાવવી જરૂરી છે. જો તમે ૨૮ એપ્રિલે અઢાર વર્ષના થઈ રહ્યા હો તો ૨૯ એપ્રિલે વોટ કરવા માટે તમારી પાસે કોઈ બહાનું ન હોવું જોઈએ. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ વોટ કરવા માટે આગળ વધે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે.’