રામમંદિરમાં ક્યાંય એક સામાન્ય ખીલી જેટલા પણ લોખંડનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી લોખંડ પર ભેજને કારણે કાટ લાગે છે, જે આખા સ્ટ્રક્ચરની આવરદા ઘટાડે છે.
રામ મંદિર
આપણી વાત ચાલે છે અયોધ્યા રામમંદિરની. એ અંતર્ગત તમને ગયા રવિવારે કહ્યું એમ રામમંદિર માટે કુલ ત્રણ ડિઝાઇન બનાવી હતી, જે પૈકીની અષ્ટકોણીય ડિઝાઇન પસંદ કરવામાં આવી. આ જે અષ્ટકોણ ડિઝાઇન છે એના માટે તમે ક્યાંયથી પ્રેરણા લીધી હતી કે નહીં એવો સવાલ એક વાચક અને આર્કિટેક્ટ સ્ટુડન્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે. તો એનો જવાબ પહેલાં આપવાનો કે ના, રામમંદિરની અષ્ટકોણ ડિઝાઇન માટે વર્તમાન કે ઇતિહાસના કોઈ મંદિરની પ્રેરણા લેવામાં નથી આવી. એવું નથી કે આપણે ત્યાં અષ્ટકોણીય મંદિરો નથી. છે, પણ એ બહુ બનતાં નથી અને વધારે બનતાં ન હોવાનાં ઘણાં કારણો છે. એ પૈકીનું મુખ્ય કારણ છે જગ્યા. અષ્ટકોણ મંદિર બનાવવા માટે મોટી જગ્યા જોઈએ તો સાથોસાથ અષ્ટકોણ મંદિર બનાવવા માટે ખર્ચ પણ વધુ આવે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)