ત્રિભેટાથી બે રસ્તાઓ અલગ પડે છે. એક રસ્તો છે વિચારનો, બીજો છે અવલંબનનો : કયા રસ્તે જવું એના હોશ પણ નથી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુદ્ધભૂમિ પર લડાઈની વચ્ચે એક સૈનિક ગહન વિચારો કરતો રહે છે. તેના મનમાં એક વાક્ય ઊગે છે : કોગિટો એર્ગો સમ. ફ્રેન્ચ ભાષાના આ વાક્યનો અર્થ થાય છે : હું વિચારું છું એને કારણે મારું અસ્તિત્વ છે. ક્રાન્તિકારી વિચારો યુદ્ધભૂમિ પર જ આવે છે - પછી એ યુદ્ધ બે દેશ વચ્ચેનું હોય, બે વ્યક્તિ વચ્ચેનું હોય, બે સમાજ વચ્ચેનું હોય, બે વિચાર વચ્ચેનું હોય કે એક જ વ્યક્તિની અંદરના દ્વેતનું હોય. મહાભારતના યુદ્ધમાં બન્ને સેનાઓ એકબીજા સામે હાકલા-પડકારા કરી રહી હતી ત્યારે કૃષ્ણના મુખે અદ્ભુત ચિંતન પ્રગટ થયું હતું. પેલો સૈનિક સ્વભાવે વિચારક હતો. જીવનને જાણવા માટે લડાઈમાં જોડાયો હતો. સૈનિક બનતાં પહેલાં પણ સારું કમાતો હતો અને ત્રણ વર્ષ સૈનિક રહ્યા પછી પણ સારું કમાતો રહ્યો. તેના માટે સૈનિકની નોકરી આજીવિકા નહોતી. રેને દેકાર્ત નામનો આ સૈનિક પછીથી મહાન ફ્રેન્ચ ચિંતક તરીકે જાણીતો થયો. તેનું વાક્ય કોગિટો એર્ગો સમ આજે પણ એટલું જ પ્રખ્યાત છે અને એટલું જ અણઉકેલ છે. દેકાર્ત માનતો કે માત્ર માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે છે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)