લોકસાહિત્યની સૌથી બળકટ વાત જો કોઈ હોય તો એ કે એમાં સાહિત્યના નવેનવ રસનો સમાવેશ થયો છે.
ભીખુદાન ગઢવી
મને ઘણા એવું પૂછે છે કે લોકસાહિત્યનું ભવિષ્ય શું? સવાલ સાંભળીને મને હસવું આવે અને કહેવાનું મન પણ થાય કે તમારા કરતાં ક્યાંય વધારે, પણ આવું કહીએ તો કોઈને માઠું લાગે એટલે હું જવાબ આપવાનું ટાળું.



