એક વાત યાદ રાખવી કે ગરબા હંમેશાં માતાજીના જ હોય, જ્યારે રાસનું સર્જન કૃષ્ણ-ગોપીઓની રાસલીલામાંથી થયું છે
ગરબા
મધર્સ ડેના દિવસે આપણે વાત કરવી છે ગરબાની. કારણ કે ગરબા માતાજીની આરાધનાનું પ્રતીક છે, જ્યારે કૃષ્ણ અને ગોપીઓની જે રાસલીલા થતી એમાંથી રાસનું સર્જન થયું છે. ગરબા માતાજીનાં તમામ રૂપ દર્શાવે છે, પણ બહુ ઓછા ગરબા એવા છે જેમાં માતાજીનું આક્રમક કે રૌદ્ર રૂપ દર્શાવવામાં આવતું હોય. એવું રૂપ જે ગરબામાં આવતું હોય એ ગરબામાં ખેલૈયાના ચહેરા પર આક્રમકતા આવે કે રૌદ્ર રૂપ આવે એ સમજી શકાય, પણ બીજા જે ગરબા છે એ ગરબાઓમાં ગ્રેસ દેખાવો જોઈએ. ગ્રેસ ન દેખાય તો એ ગરબાને માતાજીનો ગરબો કહેવો અઘરો લાગે. જેમાં માતાજીનું સૌમ્ય રૂપ દર્શાવવામાં નથી આવ્યું એ ગરબામાં પણ ગ્રેસ તો અકબંધ જ હોવો જોઈએ એવું પણ અમે કહીશું.



