ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું, ફક્ત એક ટોળામાં સામિલ થવાયું; ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ કરી મનને ખાલી છલોછલ થવાયું
અર્ઝ કિયા હૈ
પ્રતીકાત્મક તસવીર
જીવ હોય એટલે એને મર્યાદા હોવાની. ઊંચાઈ અમુક ફીટ સુધી જ વધે. હોનહાર ખેલાડી હોય તોય એની છલાંગને એક મર્યાદા હોય. તેજ ગતિએ ભાગતો સુવર્ણચંદ્રક વિજેતા ઍથ્લીટ પણ ચિત્તાની ઝડપ સામે ન ટકી શકે. મજા આપણી મર્યાદામાં રહીને દાયરાને સાર્થક કરવાની છે. ઈશ્વરે દરેકને એક પ્રતિભા આપી છે, જેને ઓળખીને એને વિકસાવવાની છે. પ્રમોદ અહિરે એની ચાવી આપે છે...