Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મંદીને કારણે મારુતિ સુઝુકીએ 3000 કામચલાઉ કર્મચારીઓને છૂટા કરી દીધા

મંદીને કારણે મારુતિ સુઝુકીએ 3000 કામચલાઉ કર્મચારીઓને છૂટા કરી દીધા

18 August, 2019 10:01 AM IST | નવી દિલ્હી

મંદીને કારણે મારુતિ સુઝુકીએ 3000 કામચલાઉ કર્મચારીઓને છૂટા કરી દીધા

મારુતિ સુઝુકીએ કરી હકાલપટ્ટી

મારુતિ સુઝુકીએ કરી હકાલપટ્ટી


દેશના ઑટોમોબાઇલ ઉદ્યોગમાં હાલમાં ફરી વળેલી આર્થિક મંદીને કારણે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયામાં ૩૦૦૦થી વધારે કામચલાઉ કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી છે. કંપનીના ચૅરમૅન આર. સી. ભાર્ગવે કહ્યું છે કે મંદીને કારણે કામચલાઉ કર્મચારીઓના કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવામાં આવ્યા નથી. કાયમી કર્મચારીઓને કોઈ અસર પડી નથી.

ભાર્ગવે કહ્યું કે આ બિઝનેસનો એક ભાગ છે. જ્યારે માગણી વધે ત્યારે કૉન્ટ્રૅક્ટ પર વધારે કર્મચારીઓને રોકવામાં આવે અને જ્યારે માગણી ઘટી જાય ત્યારે એવા કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવે છે.



હાલ ફરી વળેલી આર્થિક મંદીને કારણે તેમ જ ઉત્પાદનમાં કાપ મુકાવાથી મારુતિ કંપનીમાં નોકરીઓમાં પણ કોઈ કાપ મૂકવામાં આવ્યો છે ખરો? એના જવાબમાં ભાર્ગવે ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મારુતિ સુઝુકીમાં ૩૦૦૦થી વધારે હંગામી કર્મચારીઓએ નોકરી ગુમાવી છે.


આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં અદાણી પાવરના કેસની અચાનક જ સુનાવણીથી કરોડોનો ફાયદો

દેશના અર્થતંત્રમાં ઑટોમોબાઇલ સેક્ટર ઘણી નોકરીઓનું સર્જન કરે છે. આ ઉદ્યોગ સેલ્સ, સર્વિસ, ઇન્શ્યૉરન્સ, લાઇસન્સિંગ, ફાઇનૅન્સિંગ, ઍક્સેસરીઝ, ડ્રાઇવર્સ, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટેશન જેવા વિભાગોમાં લોકોને નોકરીએ રાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 10:01 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK