લૉકડાઉનને કારણે રાજ્યમાંથી ખાંડની નિકાસમાં ઘટાડો
ફાઈલ તસવીર
ચાલુ વર્ષના જાન્યુઆરીથી જૂન વચ્ચે રાજ્યમાંથી લગભગ ૩૬ લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય સહકારી ખાંડ ફૅક્ટરીઝ ફેડરેશનના અધ્યક્ષ જયપ્રકાશ દાંડેગાંવકરે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળો અને ત્યાર બાદના તાળાબંધીથી નિકાસ પ્રક્રિયા ધીમી પડી હતી.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નવેમ્બર ૨૦૧૯થી જૂન દરમિયાન રાજ્યમાં ૧૪૪ શુગર મિલો દ્વારા આશરે ૫૭૦ લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૬૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
દાંડેગાંવકરે જણાવ્યું હતું કે ૩૬ લાખ ટન ખાંડની નિકાસ પૂર્ણ થઈ છે. બીજા છ લાખ ટન માટે વિવિધ સોદા થયા છે અને ગોડાઉનોમાંથી નિકાસ માટે ખાંડ ખસેડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મોટા ભાગની ખાંડની નિકાસ ઇન્ડોનેશિયા અને ઈરાનમાં કરવામાં આવી છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં ૧૦૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવા માટે ૨૨ લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું.