Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કનો ઝટકો: EMI થશે મોંઘી, રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થયો

રિઝર્વ બૅન્કનો ઝટકો: EMI થશે મોંઘી, રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થયો

08 February, 2023 10:44 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલાં 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય રિઝર્વ બૅન્ક (RBI Monetary Policy)ની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યાથી MPCની બેઠકના પરિણામો વિશે માહિતી આપી છે. આમાં રેપો રેટને લઈને જાહેરાત કરવામાં આવી છે. RBIએ બૅન્કોને આપવામાં આવતી લોનના દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત



ભારતીય રિઝર્વ બૅન્ક ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલાં 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. રેપો રેટમાં આ વધારો સતત છઠ્ઠી વખત છે, જ્યારે RBIએ ક્રેડિટ પોલિસીમાં વધારો કર્યો છે. આ રીતે, સતત 6 વખત દરોમાં વધારો કરીને, RBIએ રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો છે અને તે 6.50 ટકા પર આવી ગયો છે.


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે “વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે.” આરબીઆઈ ગવર્નરે કહ્યું કે “નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો જીડીપી 7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 4 ટકાની રેન્જથી ઉપર રહેવાની શક્યતા છે. આરબીઆઈએ એમએસએફ રેટ વધારીને 6.75 ટકા કર્યો છે અને તેમાં પણ 0.25 ટકાનો વધારો થયો છે. MSF 6.50 ટકાથી વધારીને 6.75 ટકા કરવામાં આવ્યો છે.

રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટીની બેઠક સોમવારે 6 ફેબ્રુઆરીએ મળી હતી અને આજે 8 ફેબ્રુઆરીએ તેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2022-23 માટેની આ છેલ્લી ક્રેડિટ પૉલિસી છે અને બજેટ પછી તરત જ બની છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે બૅન્કિંગ સિસ્ટમમાં પૂરતી તરલતા છે અને આરબીઆઈ દેશમાં તેના પર ચાંપતી નજર રાખી રહી છે.


આ પણ વાંચો: શૅરબજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી, અદાણી ગ્રુપમાં ધોવાણનો સિલસિલો જારી

આરબીઆઈ ગવર્નરની જાહેરાત પહેલાં બૅન્કોના શૅરમાં વધારો થયો

આજે, આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પહેલાં બૅન્ક નિફ્ટીના લગભગ તમામ બૅન્ક શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને બૅન્ક નિફ્ટીમાં તેના પોતાના પર તેજી જોવા મળી રહી હતી. સવારે 9:54 વાગ્યે બૅન્ક નિફ્ટીના 12માંથી 9 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો અને બૅન્ક નિફ્ટી 200 પોઈન્ટની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK