Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short : રાજકોષીય ખાધ વાર્ષિક લક્ષ્યાંકના ૬૦ ટકાએ

News In Short : રાજકોષીય ખાધ વાર્ષિક લક્ષ્યાંકના ૬૦ ટકાએ

01 February, 2023 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિસેમ્બરના અંત સુધીમાં સરકારની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના ૫૯.૮ ટકાને સ્પર્શી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

News In Short

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


રાજકોષીય ખાધ વાર્ષિક લક્ષ્યાંકના ૬૦ ટકાએ

દેશની ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર અંત સુધીમાં રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના ૬૦ ટકાએ પહોંચી છે, જે મહેસૂલ સંગ્રહમાં ધીમી વૃ​દ્ધિને કારણે છે એમ નાણા મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું. ડિસેમ્બરના અંત સુધીમાં સરકારની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના ૫૯.૮ ટકાને સ્પર્શી ગઈ હતી. વાસ્તવિક દૃષ્ટિએ રાજકોષીય ખાધ-જે ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત છે. વર્ષ ૨૦૨૨-૨૩ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળા દરમ્યાન ૯.૯૨ લાખ કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષે આજ સમયગાળામાં બજેટના લક્ષ્યાંકના ૫૦.૪ ટકા જ હતી. 



ક્રિપ્ટો ઇકોસિસ્ટમના નિયમન માટે સામાન્ય અભિગમની આવશ્યકતા 


ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સના તાજેતરના પતન અને ક્રિપ્ટો બજારોમાં આગામી વેચાણે ક્રિપ્ટો ઇકોસિસ્ટમમાં નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એમ સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વે ૨૦૨૨-૨૩માં  જણાવ્યું હતું.

ક્રિપ્ટો ઍસેટ સ્વ-સંદર્ભિત સાધનો છે અને એ નાણાકીય સંપત્તિ હોવાની કસોટીમાં સખત રીતે પાસ થતી નથી, કારણ કે એની સાથે કોઈ આંતરિક રોકડ પ્રવાહ જોડાયેલ નથી. અમેરિકન રેગ્યુલેટર્સે બિટકૉઇન, ઇથર અને અન્ય વિવિધ ક્રિપ્ટો ઍસેટ્સને સિક્યૉરિટીઝ તરીકે ગેરલાયક ઠેરવ્યાં છે.


કરન્સી વૉલેટિલિટી ઘટાડવા રૂપિયામાં વૈશ્વિક ટ્રેડને પ્રોત્સાહન અપાશે

સ્થાનિક કરન્સીમાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવાથી રૂપિયાને અસ્થિરતાથી બચાવવામાં મદદ મળશે અને વૈશ્વિક બજારોમાં વ્યાપાર કરવાની કિંમતમાં ઘટાડો થશે એમ આર્થિક સર્વેક્ષણે મંગળવારે જણાવ્યું હતું.

સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે એ ભારતીય નિકાસકારોને વિદેશી ગ્રાહકો પાસેથી રૂપિયામાં ઍડ્વાન્સ પેમેન્ટ મેળવવામાં મદદ કરી શકે છે અને એક વાર રૂપિયાની સેટલમેન્ટ મેકૅનિઝમ ટ્રેક્શન મેળવે પછી લાંબા ગાળે સ્થાનિક ચલણને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે પ્રોત્સાહન આપી શકે છે.

જુલાઈ ૨૦૨૨માં ભારતીય રિઝર્વ બૅન્કે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં ભારતમાંથી નિકાસ પર ભાર મૂકવા અને વૈશ્વિક વેપારના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રૂપિયામાં ઇન્વૉઇસિંગ, ચુકવણી અને નિકાસ/આયાતની પતાવટ માટે વધારાની વ્યવસ્થા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે રૂપિયામાં વૈશ્વિક વેપાર સમુદાયમાં રસ વધી રહ્યો છે

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK