Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અલ નીનોની શેરડી-ખાંડના ઉત્પાદન પર ઓછી અસર થશે : ઇસ્મા

અલ નીનોની શેરડી-ખાંડના ઉત્પાદન પર ઓછી અસર થશે : ઇસ્મા

24 May, 2023 01:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં શેરડીનો ઉતારો આ વર્ષે ૧૫થી ૨૦ ટકા ઘટતાં ઉત્પાદન ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં અલ નીનોની શુગર ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઓછી અસર થવાના સંકેત મળી રહ્યા છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઇસ્મા)ના પ્રમુખ આદિત્ય ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે અલ નીનો આબોહવા પૅટર્નની સ્થાપનાની આગાહી અને ચોમાસાના વરસાદ પર સંભવિત અસર હોવા છતાં, ભારત આ વર્ષે શેરડીના પાકમાં સારી પ્રગતિની અપેક્ષા રાખી શકે છે.

ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે મોટાં ઉત્પાદક રાજ્યોમાં જળાશયનો સ્તર છેલ્લાં દસ વર્ષની સરેરાશની સરખામણીએ હાલ આરામદાયક સ્તરે છે, એથી શેરડીના ઉત્પાદનને વધુ અસર થશે નહીં.
ઝુનઝુનવાલા કહે છે કે ‘આઇએમડી (ભારત હવામાન વિભાગ) મુજબ વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે એથી અમે શેરડીના ઉત્પાદનમાં કોઈ મોટી સમસ્યાની આગાહી કરતા નથી.’



શેરડીનો પાક અત્યંત પાણી-સઘન છે, જેમાં એક ટન પાકનું ઉત્પાદન કરવા માટે ૨૫૦ ટન પાણીની જરૂર પડે છે એમ શેરડી વિકાસ નિયામકના ડેટા કહે છે.


હવામાન ખાતાએ જૂન-સપ્ટેમ્બર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમ્યાન લાંબા સમયગાળાની સરેરાશના ૯૬ ટકા પર સામાન્ય વરસાદની આગાહી કરી હતી, પરંતુ એમ પણ કહ્યું હતું કે જુલાઈમાં અલ નીનોની ઘટના વિકસી શકે છે. પૂર્વીય ઉષ્ણકટિબંધીય પૅસિફિકમાં સપાટીના સમુદ્રના તાપમાનમાં અસામાન્ય ઉષ્ણતામાન અલ નીનો સામાન્ય રીતે ભારતમાં ઓછા વરસાદ સાથે સંકળાયેલા છે. આઇએમડીએ જણાવ્યું હતું કે હકારાત્મક હિન્દ મહાસાગર દ્વીધ્રુવનો ઉદ્ભવ અલ નીનોની કેટલીક અસરને સરભર કરી શકે છે.

ઝુનઝુનવાલા કહે છે કે ‘ઇન્ડસ્ટ્રી અસોસિએશન આવતા મહિને ઑક્ટોબરથી શરૂ થતા આવતા વર્ષ માટે એના ખાંડના ઉત્પાદનના અંદાજની વિગતો આપશે. ‘અમે જૂનના મધ્યમાં સેટેલાઇટ સર્વેક્ષણ કરીશું અને અમારી પાસે જૂનના અંત સુધીમાં પ્રથમ આગોતરી અંદાજ (શેરડીના વાવેતર પર આધારિત ખાંડના ઉત્પાદન માટે) અને સપ્ટેમ્બરની આસપાસ બીજો આગોતરો અંદાજ હશે.’


ઇસ્માએ મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં ઘટાડાને કારણે ચાલુ સીઝન માટે ખાંડના ઉત્પાદનના અંદાજને ૩૪૦ લાખ ટનના અગાઉના અંદાજથી ઘટાડીને ૩૨૮ લાખ ટન કરી દીધો હતો. મહારાષ્ટ્રમાં શેરડીના ઉતારામાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થતાં ઉત્પાદનને અસર પડી છે.

ઉદ્યોગ મંડળ સરકારને ઉત્પાદન ખર્ચને આવરી લેવા માટે ખાંડની લઘુતમ વેચાણ કિંમત વધારીને ૩૮ રૂપિયા પ્રતિ કિલો કરવા વિનંતી કરી રહી છે. ઝુનઝુનવાલા કહે છે કે ‘અમારે ખેડૂતોને સમયસર ચુકવણી કરવાની જરૂર છે અને જો તમે કાચા માલની કિંમતમાં વધારો કરવાનું ચાલુ રાખો છો તો અંતિમ ઉત્પાદનની કિંમત પણ વધારવાની જરૂર છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK