Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત ઓપનર તરીકે સફળ રહ્યો તો ભારત કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ: બાંગડ

રોહિત ઓપનર તરીકે સફળ રહ્યો તો ભારત કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ: બાંગડ

15 September, 2019 11:14 AM IST | મુંબઈ

રોહિત ઓપનર તરીકે સફળ રહ્યો તો ભારત કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ: બાંગડ

સંજય બાંગડ

સંજય બાંગડ


ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્માને બે ઑક્ટોબરથી સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝ માટે ભારતીય ટીમના ઓપનિંગ બૅટ્સમૅનની જવાબદારી આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં લોકેશ રાહુલના નબળા પર્ફોર્મન્સને કારણે રોહિતને તક આપવામાં આવી છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બૅટિંગ કોચ સંજય બાંગડે રોહિત શર્માની ટેસ્ટ-ઓપનર તરીકેની અજમાઇશ વિશે કહ્યું હતું કે ‘રોહિતે પોતાની સ્ટાઇલ મુજબ ગેમ રમવી જોઈએ, કારણ કે તેની સ્ટાઇલ ટીમ ઇન્ડિયાને લાભદાયી નીવડી શકે છે. રોહિત જો ટેસ્ટ-ઓપનર તરીકે સફળ રહ્યો તો ટીમ ઇન્ડિયા કોઈ પણ મોટો ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ બની જશે. હાલની ઇન્ડિયન ટેસ્ટ-ટીમમાં મિડલ ઑર્ડરમાં કોઈ સ્થાન બદલી શકાય એમ નથી માટે ટેસ્ટ-મૅચમાં ઓપનર તરીકે રમવાનું રોહિત માટે એક ચૅલેન્જ રહેશે.’



અત્યાર સુધી ૨૭ ટેસ્ટ-મૅચમાં ૧૫૮૫ રન કરી ચૂકેલા રોહિત શર્માને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટીમ ઇન્ડિયાના સ્ક્વૉડમાં સ્થાન અપાયું હતું, પણ તેનો પ્લેઇંગ ૧૧મા સમાવેશ કરાયો ન હતો. વળી નંબર છ પર રમવા આવેલા હનુમા વિહારીના શાનદાર પર્ફોર્મન્સે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પણ વાંચો : વિરાટ-રોહિત વચ્ચે જામશે ટૉપની ટક્કર

સંજય બાંગડના સ્થાને હાલમાં ટીમ ઇન્ડિયાના બૅટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોડ ફરજ બજાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 11:14 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK