IND VS AUS:જાણો બીજી T-20 મેચમાં કેવો રહેશે પિચનો મિજાજ
બેટ્સમેનો માટે મદદરુપ રહેશે પીચ
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી અને અંતિમ T-20મેચ રમશે. બેગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T-20 મેચ રમાશે. એકતરફ ઓસ્ટ્રેલિયા પહેલી મેચમાં જીત સાથે બીજી મેચ જીતી સિરીઝ જીતવા મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા મેચ જીતી સિરીઝ હારવા ઈચ્છશે નહી. જો ભારત મેચ જીતશે તો T-20 સિરીઝ સરભર કરશે. મેચમાં પીચનો અંદાજ પણ મહત્વનો રહેશે.
કેવો રહેશે પીચનો અંદાજ?
ADVERTISEMENT
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી T-20માં દર્શકોને મોટો સ્કોર જોવા મળી શકે છે. આ પીચ બેટ્સમેનો માટે મદદરુપ રહી શકે છે. મેચ જોવા આવનારા દર્શકોને ફોર્સ અને સિક્સરની ભરમાર જોવા મળી શકે છે. છેલ્લી 5 T-20માં 3 મેચમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમને જીત મળી છે. મેચમાં ટોસ કોના પક્ષમાં જાય છે તે પણ મહત્વનું રહેશે.
આ પણ વાંચો: શું ધોની આજે ભારત માટે છેલ્લી T-20 રમશે?
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ કોઈ પણ સંજોગમાં મેચ હારવા ઈચ્છશે નહી. પહેલી મેચની હાર બાદ ટીમમાં જરુરી બદલાવ પણ જોવા મળી શકે છે.