કોરોના વાઇરસને કારણે ચીન પર ભડકતાં શોએબ અખ્તરે કહ્યું...
શોએબ અખ્તર
કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૫૪૦૦ જેટલી વ્યક્તિનું મૃત્યુ થયું છે અને આ વિશે શોએબ અખ્તરે તેમની ઝાટકણી કાઢી છે. ચીનમાંથી આ વાઇરસ દુનિયાભરમાં ફેલાયો છે. આ વિશે વાત કરતાં શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘મને સમજ નથી પડતી કે તમારે ચામાચીડિયાં ખાવાની, તેમનું લોહી પીવાની, તેમનું મૂત્ર પીવાની અને એના કારણે કેટલાક વાઇરસને દુનિયાભરમાં ફેલાવવાની શું જરૂર છે. હું ચાઇનીઝ લોકો વિશે વાત કરી રહ્યો છું. તેમણે દુનિયાને ખૂબ જ મોટી મુસિબતમાં મૂકી દીધા છે. મને સમજ નથી પડતી કે તમે લોકો ચામાચીડિયાં, ડૉગ અને બિલાડી કેવી રીતે ખાઈ શકો છો? મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. તેમના કારણે દુનિયા મુસિબતમાં છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર આફત આવી છે, ઇકૉનૉમી નીચે જઈ રહી છે. મોટા ભાગના દેશો લોકડાઉન કરી રહ્યા છે.’