Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખરાબ સમયમાં સાથ આપનારાઓને મારી સેન્ચુરી ડેડિકેટ કરું છું : રહાણે

ખરાબ સમયમાં સાથ આપનારાઓને મારી સેન્ચુરી ડેડિકેટ કરું છું : રહાણે

28 August, 2019 10:50 AM IST | ઍન્ટિગુઆ

ખરાબ સમયમાં સાથ આપનારાઓને મારી સેન્ચુરી ડેડિકેટ કરું છું : રહાણે

રહાણે

રહાણે


પહેલી ટેસ્ટમાં ૮૧ અને ૧૦૨ રનની ક્લાસિક ઇનિંગ્સ રમનાર ઇન્ડિયન ટેસ્ટ ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની સેન્ચુરી તે લોકોને ડેડિકેટ કરી છે જેણે રહાણેને તેના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને પહેલી ટેસ્ટમાં ૩૧૮ રને પછાડીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં શ્રીગણેશ કર્યા છે.

આ પણ વાંચો : હવે આઉટસ્વિંગર્સ ફેંકવામાં મારો કૉન્ફિડન્સ વધી ગયો છે : બુમરાહ



પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનારા રહાણેએ મીડિયાને કહ્યું કે ‘આ સેન્ચુરી મારા માટે ઘણી સ્પેશ્યલ છે. આ સેન્ચુરી હું એ લોકોને ડેડિકેટ કરવા માગું છું જેમણે મારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે. ૨૯-૩૦ ઇનિંગ્સ પછી સેન્ચુરી ફટકારી હોવાથી ઘણું સારું ફીલ થાય છે. હું ૭૦ જેટલા રન કરી લેતો હતો, પણ આ સેન્ચુરી મારા માટે ઘણી મહત્ત્વની રહી. પહેલી ઇનિંગમાં ૨૫ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા પછી મારા અને લોકેશ રાહુલ વચ્ચેની પાર્ટનરશિપ ઘણી કીમતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 10:50 AM IST | ઍન્ટિગુઆ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK