ખરાબ સમયમાં સાથ આપનારાઓને મારી સેન્ચુરી ડેડિકેટ કરું છું : રહાણે
રહાણે
પહેલી ટેસ્ટમાં ૮૧ અને ૧૦૨ રનની ક્લાસિક ઇનિંગ્સ રમનાર ઇન્ડિયન ટેસ્ટ ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની સેન્ચુરી તે લોકોને ડેડિકેટ કરી છે જેણે રહાણેને તેના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને પહેલી ટેસ્ટમાં ૩૧૮ રને પછાડીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં શ્રીગણેશ કર્યા છે.
આ પણ વાંચો : હવે આઉટસ્વિંગર્સ ફેંકવામાં મારો કૉન્ફિડન્સ વધી ગયો છે : બુમરાહ
ADVERTISEMENT
પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનારા રહાણેએ મીડિયાને કહ્યું કે ‘આ સેન્ચુરી મારા માટે ઘણી સ્પેશ્યલ છે. આ સેન્ચુરી હું એ લોકોને ડેડિકેટ કરવા માગું છું જેમણે મારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે. ૨૯-૩૦ ઇનિંગ્સ પછી સેન્ચુરી ફટકારી હોવાથી ઘણું સારું ફીલ થાય છે. હું ૭૦ જેટલા રન કરી લેતો હતો, પણ આ સેન્ચુરી મારા માટે ઘણી મહત્ત્વની રહી. પહેલી ઇનિંગમાં ૨૫ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા પછી મારા અને લોકેશ રાહુલ વચ્ચેની પાર્ટનરશિપ ઘણી કીમતી હતી.’