ધોનીની નિવૃતીને લઇને હર્ષા ભોગલેએ આપ્યું મહત્વનું નિવેદન
Mumbai : ક્રિકેટની દુનિયામાં અત્યારે ધોનીની નિવૃતીના સમાચાર પર તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ક્રિકેટના જાણિતા કોમેન્ટેટર હર્ષા ભોગલે પણ ધોનીની નિવૃતીને લઇને નિવેદન આપ્યું છે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ભારતની ટી20, વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ગઈ છે અને ધોનીએ પોતાને પહેલાથી જ આ પ્રવાસ માટે ઉપલબ્ધ ગણાવ્યો ન હોતો. ત્યારે તેની જગ્યાએ ઋષભ પંતને વિકેટકીપર તરીકે તક આપવામાં આવી છે.
ભારતના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ આર્મી ટ્રેનિંગ માટે રજા માગી હતી. વર્લ્ડ કપ દરમ્યાન ધોનીની નિવૃતીની ચર્ચાઓ પર ઘણું જોર પકડ્યું હતું. જોકે હવે તેના પર પુર્ણવિરામ લાગી ગયું છે. ઉંમરનાં આ પડાવ પર ધોનીએ ધોનીએ ક્રિકેટ માંથી બ્રેક લઇને 2 મહિના માટે આર્મી ટ્રેનિંગ માટે રજા લીધી છે તે વિશે હર્ષા ભોગલેએ કહ્યું કે કદાચ તેની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે.
હર્ષા ભોગલેએ એમએસ ધોનીને લઇને ટ્વિટ કર્યું છે, જેમાં પહેલી ટ્વિટમાં લખ્યું છે, ‘જીવનનાં આ પડાવ પર ધોનીએ અચાનક ટેરિટોરિયલ આર્મીમાં ટ્રેનિંગ લેવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે, પરંતુ ઉંમરની સાથે સાથે માણસની પ્રાથમિકતા બદલાય જાય છે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પછી સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા ભારત પ્રવાસે આવશે. આશા છે કે પસંદગીકારો ધોની સાથે સતત વાતો કરી રહ્યા હશે. આ કારણે આપણે વધારે ધારણાઓ કરવાની જરૂર નહીં રહે.’
ADVERTISEMENT
હર્ષા ભોગલેએ બીજા ટ્વિટમાં લખ્યું છે કે, ‘દરેક મહાન ખેલાડી પાસે એ તક હોય છે કે તેઓ જ્યારે ઇચ્છે રમે અને ખુદનાં ભવિષ્યનો નિર્ણય કરે, પરંતુ ખુદને વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી તેમ કહીને ધોનીએ સંપૂર્ણ ચર્ચામાંથી પોતાને બહાર કરી દીધો છે. તેના આ નિર્ણયનું સ્વાગત થવું જોઇએ.’
આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ
તો વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ધોનીનાં સંન્યાસને લઇને કહ્યું કે, “સંન્યાસ સંપૂર્ણ રીતે એક ખેલાડીનો પોતાનો નિર્ણય છે. ધોની જેવા લીજેન્ડ જાણે છે કે તેમણે ક્યારે સંન્યાસ લેવાનો છે. મને નથી લાગતુ કે આ મામલે વધારે વાત કરવાની જરૂર છે. પહેલી વાત તો એ કે તે ઉપલબ્ધ નથી અને બીજી વાત અમે યુવા ખેલાડીઓને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.”