જાડેજાથી ખુશ થયા દાદા
સૌરવ ગાંગુલી
(આઇ.એ.એન.એસ.) ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી રવીન્દ્ર જાડેજાની બૅટિંગથી ઘણો ઇમ્પ્રેસ થયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ વન-ડેમાં નૉટઆઉટ 39 રનની પારી રમીને તેણે ટીમને જીત સુધી પહોંચાડી હતી. ટીમ ઇન્ડિયાએ વિન્ડીઝ સામે સતત દસમી સિરીઝ પોતાને નામ કરી હતી. ઇન્ડિયાની આ વિક્ટરી વિશે ખુશ થયેલા ગાંગુલીએ કહ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયા માટે વધુ એક જીત... અભિનંદન... એક પ્રેશરવાળી ગેમમાં બૅટિંગ વડે સારો પર્ફોર્મન્સ આપ્યો. બૅટિંગમાં જાડેજાની ઇમ્પ્રૂવમેન્ટ ઘણી અગત્યની છે.’
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર, વી.વી.એસ. લક્ષ્મણ, હરભજન સિંહ, ઇરફાન પઠાણ, મોહમ્મદ કૈફ જેવા દિગ્ગજ પ્લેયરોએ પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યાં હતાં. ભારત હવે પાંચમી જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ રમશે.