Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > માત્ર ૧૧ બૉલ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો પ્રિયાંશ આર્ય

માત્ર ૧૧ બૉલ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો પ્રિયાંશ આર્ય

Published : 05 April, 2026 08:29 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ સામે ૨૦૦+ સ્કોર કરવા છતાં સતત પાંચમી મૅચ હાર્યું ચેન્નઈ

પંજાબનો ૨૪ વર્ષનો ઓપનર પ્રિયાંશ આર્ય

પંજાબનો ૨૪ વર્ષનો ઓપનર પ્રિયાંશ આર્ય


શુક્રવારે ચેન્નઈ સામે રન-ચેઝ દરમ્યાન પંજાબનો ૨૪ વર્ષનો ઓપનર પ્રિયાંશ આર્ય ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવા ઊતર્યો હતો. તેણે ૩૫૪.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩ ફોર અને ૪ સિક્સરની મદદથી ૧૧ બૉલમાં ૩૯ રન કર્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે પહેલો ભારતીય અને ઓવરઑલ બીજો આ અવૉર્ડ જીતનાર પ્લેયર બન્યો હતો જેણે ૧૧ કે એથી ઓછા બૉલનો સામનો કર્યો હોય, બોલિંગ-ફીલ્ડિંગ કરવા ઊતર્યો નહોતો. અગાઉ ગ્લેન મૅક્સવેલે ૨૦૨૩માં હૈદરાબાદ સામે ૭ બૉલમાં પચીસ રન કરીને આ અનોખી સિદ્ધિ મેળવી હતી. શુક્રવારે ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૦૯ રન કર્યા હતા, પંજાબે ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૧૦ રન કરી લીધા હતા. પંજાબ સામે ૨૦૦+નો સ્કોર કરવા છતાં ચેન્નઈને સતત પાંચમી હાર મળી છે. T20 ક્રિકેટમાં હરીફ સામે ૨૦૦+નો સ્કોર કરવા છતાં ચેન્નઈ સૌથી વધુ મૅચ હારનાર ટીમ બની ગઈ છે. અગાઉ ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડીઝ આવી ૪ હાર ધરાવતી ટીમ બની હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 08:29 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK