Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટી૨૦ વર્લ્ડ કપ પછી તરત જ ભારત ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે

ટી૨૦ વર્લ્ડ કપ પછી તરત જ ભારત ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે

07 February, 2024 06:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ પાંચ મૅચની ટી૨૦ સિરીઝ રમશે: ભારતે છેલ્લે ૨૦૧૬માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે જુલાઈમાં પાંચ મૅચની ટી૨૦ સિરીઝ રમાશે. ભારતીય ટીમે ત્યાં છેલ્લે ૨૦૧૬માં પ્રવાસ ખેડ્યો હતો એટલે કે ૮ વર્ષ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેની ધરતી પર રમશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના કુલ ૯ દિવસ બાદ ભારતીય ટીમ પાંચ ટી૨૦ મૅચ રમશે.ટીમ ઇન્ડિયા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસે નીકળશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ કાર્યક્રમ વિશેની જાહેરાત મંગળવારે કરી હતી. આ પાંચ મૅચની ટી૨૦ સિરીઝની શરૂઆત ૬ જુલાઈથી થશે અને અંતિમ મૅચ ૧૪ જુલાઈના રોજ રમાશે. તમામ મૅચ હરારેમાં રમાશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની શરૂઆત ૧ જૂનથી થઈ રહી છે અને ફાઇનલ મૅચ ૨૯ જૂનના રોજ રમાશે. એટલે કે આ ટી૨૦ વર્લ્ડ કપના માત્ર ૯ દિવસ બાદ ભારત અને ઝિમ્બાબ્વેની ટી૨૦ સિરીઝની શરૂઆત થઈ જશે. 


ક્યાં અને ક્યારે મૅચ? 
પહેલી ટી૨૦ – ૬ જુલાઈ
બીજી ટી૨૦ – ૭ જુલાઈ
ત્રીજી ટી૨૦ – ૧૦ જુલાઈ
ચોથી ટી૨૦ – ૧૩ જુલાઈ
પાંચમી ટી૨૦ – ૧૪ જુલાઈ



તમામ મૅચ હરારેમાં રમાશે.


 


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2024 06:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK