Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યકુમારની ક્ષમતાનો ઉપયોગ ન કરવાનો પસ્તાવો જીવનભર રહેશે ગૌતમ ગંભીરને

સૂર્યકુમારની ક્ષમતાનો ઉપયોગ ન કરવાનો પસ્તાવો જીવનભર રહેશે ગૌતમ ગંભીરને

14 May, 2024 07:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમ કૉમ્બિનેશનને કારણે સાતમા ક્રમે રમતાં સૂર્યકુમાર યાદવે ૨૦૧૪થી ચાર વર્ષ કલકત્તા માટે રમીને ૫૪ મૅચમાં ૬૦૮ રન ફટકાર્યા હતા. 

ગૌતમ ગંભીર , સૂર્યકુમાર યાદવ

IPL 2024

ગૌતમ ગંભીર , સૂર્યકુમાર યાદવ


કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત IPL ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે મુંબઈ ઇન્ડિયન્સના બૅટર સૂર્યકુમાર યાદવને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્વીકાર્યું કે તેને હજી પણ તેના કાર્યકાળ દરમ્યાન સૂર્યકુમારની ક્ષમતા અને બૅટિંગ લાઇનઅપ નક્કી કરવામાં સક્ષમ ન હોવાનો અફસોસ રહેશે. કલકત્તાના મેન્ટર ગંભીરે કહ્યું કે ‘એક લીડરની ખરી કસોટી ખેલાડીની શ્રેષ્ઠ ક્ષમતાને ઓળખવી અને તેને વિશ્વ સમક્ષ લાવવાની છે. મારા સાત વર્ષના કૅપ્ટન તરીકેના કાર્યકાળ દરમ્યાન મને એક વાતનો અફસોસ છે કે હું સૂર્યકુમારની ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નહીં. સૂર્યકુમાર ત્રીજા નંબર પર સારું રમ્યો હતો, પરંતુ તે સાતમા નંબર પર પણ એ જ રીતે બૅટિંગ કરતો હતો. ટીમ કૉમ્બિનેશનને કારણે સાતમા ક્રમે રમતાં સૂર્યકુમાર યાદવે ૨૦૧૪થી ચાર વર્ષ કલકત્તા માટે રમીને ૫૪ મૅચમાં ૬૦૮ રન ફટકાર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK