Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે વર્લ્ડ કપની ૧૯ નવેમ્બરની ફાઇનલ અમદાવાદમાં રમાવાની છે

વન-ડે વર્લ્ડ કપની ૧૯ નવેમ્બરની ફાઇનલ અમદાવાદમાં રમાવાની છે

23 March, 2023 02:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષની પાંચમી ઑક્ટોબરે શરૂ થનારા વિશ્વકપનાં બીજાં શહેરોની ‘ઇલેવન’માં મુંબઈ, રાજકોટ પણ છે : પાકિસ્તાનના ખેલાડીઓના વિઝા ભારત સરકાર મંજૂર કરશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

ICC Cricket World Cup

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ


વન-ડેનો વર્લ્ડ કપ ૨૦૧૧માં ભારતમાં યોજાયા બાદ હવે ફરી આ વર્ષે ભારતમાં જ રમાવાનો છે. ૧૦ દેશ વચ્ચેના આ ઓડીઆઇ ફેસ્ટિવલમાં ૪૬ દિવસ દરમ્યાન કુલ ૪૮ મૅચ રમાશે. પાંચમી ઑક્ટોબરે શરૂ થનારા આ વર્લ્ડ કપનું શેડ્યુલ હજી જાહેર નથી કરાયું, પરંતુ ૧૯ નવેમ્બરની ફાઇનલ ક્રિકેટવિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે એ નક્કી છે. આ સ્ટેડિયમમાં કુલ ૧,૩૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે.

આગામી ઓડીઆઇ વર્લ્ડ કપની મૅચો અમદાવાદ ઉપરાંત બીજાં અગિયાર શહેરોમાં પણ રમાશે અને શહેરોની એ ‘ઇલેવન’માં મુંબઈ, રાજકોટ, દિલ્હી, બૅન્ગલોર, ચેન્નઈ, ધરમશાલા, ગુવાહાટી, કલકત્તા, હૈદરાબાદ, લખનઉ અને ઇન્દોરનો સમાવેશ છે.



ઘણાં વર્ષોથી ભારતમાં પાકિસ્તાનના ખેલાડીઓને માત્ર આઇસીસીની ઇવેન્ટમાં જ રમવા મળ્યું છે અને એક અહેવાલ મુજબ બીસીસીઆઇએ આઇસીસીને બાંયધરી આપી છે કે ભારત સરકાર પાકિસ્તાની ક્રિકેટરો માટેના વિઝા મંજૂર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK