Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Junagadh

લેખ

જૂનાગઢમાં ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

હવે જૂનાગઢમાં બંધાયેલાં ગેરકાયદે મકાનો પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદમાં પણ બીજા દિવસે ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામો હટાવીને ૧.૫ લાખ ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી

01 May, 2025 02:09 IST | Junagadh | Gujarati Mid-day Correspondent
ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્યુ નોંધાયાં હતાં

૨૦૨૪માં દર બીજા દિવસે ગુજરાતમાં એક સિંહનું મૃત્યુ

પાંચ વર્ષમાં ૬૬૯ સિંહનાં મૃત્યુ, આ વર્ષે થશે સિંહની વસ્તીગણતરી, ૨૦૨૦માં થયેલી ગણતરીમાં ગીરનાં જંગલોમાં ૬૭૪ સિંહ હતા

06 April, 2025 01:05 IST | Junagadh | Gujarati Mid-day Correspondent
અરેસ્ટ થયેલો આરોપી મુકેશ ખારવા અને તેણે ચોરેલી ઘડિયાળો.

વરલીમાં વૃક્ષ પર ચડીને બીજા માળના ઘરમાં ઘૂસી ગયો ચોર

વરલીમાં વૃક્ષ પર ચડીને બીજા માળના ઘરમાં ઘૂસી ગયો ચોર, પચીસ લાખની કીમતી ઘડિયાળો તફડાવી, જૂનાગઢથી પકડાયો

08 March, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાશિવરાત્રિની રાતે અખાડાથી ભવનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી

જૂનાગઢમાં મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં મહાત્માઓનું મહાસ્નાન

રાતે નીકળેલી રવેડીમાં હજારો નાગા બાવા, સાધુ-સંતો જોડાયા

01 March, 2025 07:24 IST | Junagadh | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્રીનાથજીના આઠ સમાનાં દર્શનની ઝાંખી

ઘરના લગ્નપ્રસંગે મુંબઈમાં નાથદ્વારા ઊભું કરીને ભવ્ય સત્સંગ કરાવ્યો આ પરિવારે

મનની ઇચ્છા પૂરી કરવા તથા આજના યુવા વર્ગને પુષ્ટિમાર્ગ એટલે કે ભક્તિમાર્ગથી અવગત કરાવવાના હેતુથી વિલે પાર્લેના મશરૂ પરિવારે તેમના દીકરાની લગ્નવિધિઓ શરૂ થાય એ પહેલાં શ્રીનાથજીનાં આઠ સ્વરૂપની અલૌકિક ઝાંખીનાં દર્શન કરાવ્યાં.

30 April, 2025 06:53 IST | Mumbai | Kajal Rampariya
આજના કવિવારના એપિસોડમાં કવિ શ્યામ સાધુની રચનાઓ

કવિવાર : ગઝલોનું સરોવર લઈને નીકળી પડેલા કવિ શ્યામ સાધુ

આજે આપણે વાત કરવાની છે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક શ્યામ સાધુની. મૂળ નામ તો શામળદાસ સોલંકી. જુનાગઢ કવિનું વતન. મેટ્રિક સુધીનો અભ્યાસ. તેઓએ વિશેષ કરીને ગુજરાતી ગઝલમાં આગવું પ્રદાન કર્યું છે. તેમની ગઝલમાં ગિરનારી મિજાજ અનુભવાય છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

29 April, 2025 10:21 IST | Mumbai | Dharmik Parmar
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી દરમિયાન સિંહોની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

Photos: ગીર જંગલ સફારીમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડેના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ સફારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું સામૂહિક પ્રયાસોને કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે. આ સાથે તેમણે એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને સાચવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. આ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

04 March, 2025 07:06 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent
જુનાગઢના ભેંસાણ રોડ પર ગિરનારના અવધુત અમૃતગીરી બાપુની તપોભૂમિમાં 40 દિવસ યજ્ઞાનુષ્ઠાનનું દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું હતું. (તસવીરો: જયેશ ભરાડ)

મહેશગીરીનું જ્ઞાન મુદ્રાનું અલૌકિક સ્વરૂપ નિહાlળી ભાવિક ભાવમય બન્યા, જુઓ તસવીરો

જુનાગઢથી 27 કિલોમિટર દૂર રાણપુર ગામ ગિરનાર કમંડળ કૂંડના મહંત અવધુત અમૃતગીરીની તપોભૂમિ છે. વર્તમાન મહંત મહેશગીરીએ પોતાનાં સદ્ગુગુરુ અમૃતગીરી અને શિષ્ય બહ્મકિન મુક્તનંદબાપુની સ્મૃતિમાં 40 દિવસીય અલૌકિક યજ્ઞ અનુષ્ઠાનનું દિવ્ય આયોજન કર્યું જેની શરૂઆત 10 જાન્યુઆરીના રોજ થઇ. આજે નવગ્રહયાગ યજ્ઞ સંપન્ન થતા ત્યારે યજ્ઞનનાં દર્શનાર્થે આવેલા ભાવિકો ધન્ય થયાં. (તસવીરો: જયેશ ભરાડ)

23 January, 2025 06:09 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જૂનાગઢ જિલ્લા અધિકારીઓ દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક ગેરકાયદેસર ઇમારતો દૂર કરાઈ

જૂનાગઢ જિલ્લા અધિકારીઓ દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક ગેરકાયદેસર ઇમારતો દૂર કરાઈ

જિલ્લા વહીવટીતંત્રે 30 એપ્રિલના રોજ ગુજરાતના જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના વિસ્તરણની આસપાસ ગેરકાયદેસર અતિક્રમણો દૂર કર્યા. વહીવટીતંત્રે કાર્યવાહી કરતા ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 29 એપ્રિલના રોજ ચંડોળા તળાવ નજીક બાંગ્લાદેશી ઘુસણખોરોને દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશનું આયોજન કર્યું હતું.

30 April, 2025 06:38 IST | Junagadh
રામબનમાં ભૂસ્ખલન: જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વરસાદ, ભૂસ્ખલનથી તબાહી

રામબનમાં ભૂસ્ખલન: જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વરસાદ, ભૂસ્ખલનથી તબાહી

જમ્મુ અને કાશ્મીરના રામબનમાં મુશળધાર વરસાદને પગલે, ડૂબી ગયેલા NH44 પટની નજીક, પંચાયત ધલવાસના વોર્ડ નંબર સાતમાં એક ડઝન મકાનોને નુકસાન થયું હતું. જમીન ડૂબવાને કારણે પરનોટમાં લગભગ ૩૦ મકાનોને નુકસાન થયાના એક સપ્તાહની અંદર આ ઘટના બની હતી. એક ગામની નીચે અંદાજે ૧૦૦ ફૂટ જમીન ડૂબી ગઈ, એક ગૌશાળાને નુકસાન થયું અને અનેક મકાનોમાં તિરાડો પડી. રામબનમાં ભૂસ્ખલન બાદ મહેસૂલ અધિકારીઓ દ્વારા નુકસાનની આકારણી કર્યા બાદ વહીવટીતંત્ર દ્વારા ચાર પરિવારોને કામચલાઉ આશ્રયસ્થાનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અવિરત વરસાદને કારણે જમીન ડૂબી ગઈ છે. એએનઆઈ સાથે વાત કરતા રવિ કુમાર નામના સ્થાનિકે કહ્યું, ‘રાતના સમયે જ સ્લાઈડિંગ શરૂ થઈ ગયું હતું. જમીન ધસી જવાને કારણે ૧૧થી ૧૨ મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. સરકારે અમને PWD વસાહતમાં આશ્રય આપ્યો છે.’ એએનઆઈ સાથે વાત કરતા, અન્ય એક સ્થાનિકે કહ્યું, ‘અમે અમારો સામાન PWD કોલોનીમાં શિફ્ટ કર્યો છે, અમે પ્રાણીઓને પણ શિફ્ટ કર્યા છે. ૧૨ મકાનો હજુ પણ જોખમમાં છે.’

03 May, 2024 05:18 IST | Junagadh
લોકસભા ચૂંટણી ૨૦૨૪ : વડાપ્રધાન મોદીએ આપ્યું ભારતને પર્યટન હબ બનાવવાનું વચન

લોકસભા ચૂંટણી ૨૦૨૪ : વડાપ્રધાન મોદીએ આપ્યું ભારતને પર્યટન હબ બનાવવાનું વચન

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચાર દરમ્યાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના જૂનાગઢમાં તેમની રેલીમાં કહ્યું હતું કે તેમણે સેટેલાઇટ સર્વે કરાવ્યો છે. સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે ભારતની આસપાસ ૧૩૦૦ ટાપુઓ છે જે સિંગાપોર કરતા પણ મોટા છે. સર્વેના પરિણામને આધાર માનીને વડાપ્રધાન મોદીએ આ ટાપુઓને વિકસાવવા અને ભારતને પર્યટન હબ બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.

03 May, 2024 02:09 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK