Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોટાના જગદીશ મંદિરમાં ભગવાન ૧૪ દિવસની મેડિકલ લીવ પર જશે

કોટાના જગદીશ મંદિરમાં ભગવાન ૧૪ દિવસની મેડિકલ લીવ પર જશે

Published : 30 May, 2026 02:36 PM | IST | Kota
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગરમી અને આમરસથી અસ્વસ્થતા અનુભવતા પ્રભુને ૧૪ દિવસ માટે આરામ કરવા દેવાય છે

આ દરમ્યાન મંદિર બંધ રહે છે

અજબ ગજબ

આ દરમ્યાન મંદિર બંધ રહે છે


રાજસ્થાનના કોટામાં આવેલું ઐતિહાસિક જગદીશ મંદિર ૩૦૦ વર્ષ જૂની અનોખી પરંપરાનું પાલન આજે પણ કરે છે. અહીં દર જેઠ મહિનાની પૂર્ણિમાએ ભગવાનની આવભગત થાય છે. ૩૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ભીષણ ગરમી પડે એટલે ભગવાનને પાણી ભરેલા ૫૧ કળશથી સ્નાન કરાવવામાં આવે છે અને એ પછી ૨૦૦ કિલોનો કેરીના રસનો ભોગ ધરાવાય છે. જોકે આ પછી ભગવાન માંદા પડી જાય છે. ગરમી અને આમરસથી અસ્વસ્થતા અનુભવતા પ્રભુને ૧૪ દિવસ માટે આરામ કરવા દેવાય છે. આ દરમ્યાન મંદિર બંધ રહે છે. જેઠ પૂર્ણિમાનાં અનુષ્ઠાનો પૂરા થયા પછી રાતે નવ વાગ્યે મંદિરના કપાટ બંધ થાય છે જે ૧૪ દિવસ પછી ખૂલે છે. ભગવાનને આરામમાં ‌અડચણ ન આવે એ માટે મંદિરમાં ઘંટને પણ કપડાંથી ઢાંકી દેવામાં આવે છે. આ ૧૪ દિવસ દરમ્યાન પૂજારી ભગવાનને દૂધ અને કાળાં મરીનો કાઢો અર્પણ કરે છે જે તેમને સાજા થવામાં મદદ કરતો હોવાની માન્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 02:36 PM IST | Kota | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK