Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આંધ્ર પ્રદેશના આદિવાસીઓએ શોધી કાઢ્યાં પાણીના ફુવારા છોડતાં વૃક્ષ

આંધ્ર પ્રદેશના આદિવાસીઓએ શોધી કાઢ્યાં પાણીના ફુવારા છોડતાં વૃક્ષ

02 April, 2024 09:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉનાળામાં જળસ્રોત સુકાઈ જવાથી પાણીની સમસ્યા થાય છે ત્યારે વડનાં આ વૃક્ષોમાં સચવાયેલું પાણી ઉપયોગી બને છે

પાપીકોન્ડા નૅશનલ પાર્ક

Offbeat

પાપીકોન્ડા નૅશનલ પાર્ક


આદિવાસી સમાજ પ્રકૃતિની ઊંડી સમજ ધરાવે છે. તાજું ઉદાહરણ આંધ્ર પ્રદેશમાં સામે આવ્યું છે. પૂર્વ કાંઠામાં આવેલા પાપીકોન્ડા નૅશનલ પાર્કનાં જંગલોમાં મલયન વડ (ચાઇનીઝ બન્યન) જાતનાં વૃક્ષ પાણીનો સંગ્રહ કરતાં હોય છે. ઉનાળામાં જળસ્રોત સુકાઈ જવાથી પાણીની સમસ્યા થાય છે ત્યારે વડનાં આ વૃક્ષોમાં સચવાયેલું પાણી ઉપયોગી બને છે. જોકે આ પ્રકારનાં વૃક્ષો શોધવાં કેવી રીતે એ સમસ્યા હતી. જંગલ ખાતાના સ્થાનિક અધિકારીઓએ એ માટે કોન્ડા રીડી જાતિના આદિવાસીઓ પાસે મદદ માગી હતી. પછી તો આદિવાસીઓની મદદથી જંગલમાં આવાં સંખ્યાબંધ વૃક્ષ શોધી કાઢવામાં આવ્યાં હતાં. આ વૃક્ષના થડ પર કાપો પાડવાથી ફુવારાની જેમ પાણી ઊડે છે. જોકે આ પાણીનો સ્વાદ થોડો તૂરો હોય છે. કોન્ડા રીડી આદિવાસીઓ સદીઓથી જંગલમાં વસે છે. મલયન વડ સ્થાનિક ઇકો-સિસ્ટમનું મહત્ત્વનું વૃક્ષ માનવામાં આવે છે. ઘટાટોપ એવા આ વૃક્ષના છાંયડાને કારણે ઘાસ સુકાતું નથી એથી ઉનાળાના આકરા દિવસોમાં આદિવાસીઓને ઘાસચારો મળી રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK