Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરમાં સિંહ પાળો તો પછી એ જીવલેણ ન બને તો જ નવાઈ

ઘરમાં સિંહ પાળો તો પછી એ જીવલેણ ન બને તો જ નવાઈ

Published : 15 May, 2025 11:40 AM | IST | Baghdad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૦ વર્ષના અકીલ ફખર અલ-દીનને ગયા ગુરુવારે તેના પાળેલા સિંહે જ મારી નાખ્યો હતો અને તેનું થોડુંક માંસ ખાઈ લીધું હતું

માલિકને મારી નાખ્યા પછી સિંહને પણ ઠાર કરવામાં આવ્યો હતો

અજબગજબ

માલિકને મારી નાખ્યા પછી સિંહને પણ ઠાર કરવામાં આવ્યો હતો


ઇરાકમાં ઘણા શ્રીમંતો જંગલી જાનવરોને પાળવાનો શોખ ધરાવે છે, પણ ૫૦ વર્ષના અકીલ ફખર અલ-દીનને ગયા ગુરુવારે તેના પાળેલા સિંહે જ મારી નાખ્યો હતો અને તેનું થોડુંક માંસ ખાઈ લીધું હતું.


અલ-દીનને વિદેશી પ્રાણીઓને પાળવાનો શોખ હતો. તેના ગાર્ડનમાં વિવિધ જાતનાં જંગલી પશુઓને પાળવામાં આવતાં હતાં. આ સિંહને પણ અલ-દીન એક મહિનાથી તેના અલ હસિનાત વિસ્તારમાં આવેલા બગીચામાં ઉછેરતો હતો. તે સિંહના પાંજરામાં ગયો ત્યારે સિંહે અલ-દીન પર હુમલો કર્યો હતો, જેનાથી તેના ગળા અને છાતીમાં જીવલેણ ઈજાઓ થઈ હતી. પછી સિંહ અલ-દીનના શરીરનો થોડોક ભાગ ખાઈ ગયો હતો.



આ ઘટના નજરે જોયા બાદ પરિવારે મદદ માટે ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને સિંહ પર ગોળી છોડતાં તે મરી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2025 11:40 AM IST | Baghdad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK