લોકસભાની ચૂંટણી ૨૦૨૪નો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી તમિલનાડુના પ્રમુખ કે અન્નામલાઈએ ૨૧ એપ્રિલે બેંગલુરુમાં પાર્ટીના બેંગ્લોર દક્ષિણના ઉમેદવાર તેજસ્વી સૂર્યાના સમર્થનમાં રોડશો યોજ્યો હતો. રોડ શોમાં ભાજપના ધ્વજ સાથે પાર્ટીના કાર્યકરોની વિશાળ ભાગીદારી જોવા મળી હતી. કે અન્નામલાઈએ મોટું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ બેહાલ થઈ ગઈ છે કારણ કે કોંગ્રેસ માટે કર્ણાટક એટીએમ જેવું છે.