Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહિલાઓએ મ​ણિપુરના સીએમનો રાજીનામાનો લેટર ફાડી નાખ્યો

મહિલાઓએ મ​ણિપુરના સીએમનો રાજીનામાનો લેટર ફાડી નાખ્યો

Published : 01 July, 2023 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન રાજીનામું આપવા જઈ રહ્યા હતા, પરંતુ સપોર્ટ જોઈને વિચાર બદલ્યો

મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહના મહિલાઓ દ્વારા ફાડી નાખવામાં આવેલા રાજીનામાના લેટરની ઇમેજ. આ ઇમેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહના મહિલાઓ દ્વારા ફાડી નાખવામાં આવેલા રાજીનામાના લેટરની ઇમેજ. આ ઇમેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.


મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસાને કારણે આ રાજ્યના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં એક સિનિયર પ્રધાને દાવો કર્યો હતો કે બીરેન સિંહ ગઈ કાલે રાજીનામું જ આપવા જઈ રહ્યા હતા, પરંતુ લોકોના પ્રેશરને કારણે તેમણે તેમનો વિચાર બદલ્યો હતો. આ પ્રધાને જણાવ્યું હતું કે બીરેન સિંહ રાજ્યપાલના​ નિવાસસ્થાને જવા નીકળ્યા હતા, પરંતુ તેમના સપોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં તેઓ પાછા ફર્યા હતા.  

તેમના નિવાસસ્થાનની બહાર સેંકડો મહિલાઓએ માનવ-સાંકળ રચીને જણાવ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે બીરેન સિંહ રાજીનામું આપે. અનેક મહિલાઓએ મણિપુરના સીએમના રાજીનામાનો લેટર ફાડી નાંખ્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.



રાજભવનની બહાર પણ મહિલાઓએ રસ્તો જ બ્લૉક કરી દેતાં મણિપુરના સીએમનો કાફલો આગળ વધી શક્યો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2023 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK