Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકમાં VHPના કાર્યકર્તાની હત્યા બાદ ધમાલ, સંસદસભ્યે કરી NIA તપાસની માગણી

કર્ણાટકમાં VHPના કાર્યકર્તાની હત્યા બાદ ધમાલ, સંસદસભ્યે કરી NIA તપાસની માગણી

Published : 03 May, 2025 03:38 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આ દરમ્યાન અમુક વિસ્તારોમાં જાહેર બસ પર પથ્થરમારો કરવાની અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી હતી જેને કારણે અનેક બસસેવા બંધ કરવી પડી હતી.

VHPના કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા પછી તેનો પાર્થિવ દેહ ગઈ કાલે તેના વતન મૅન્ગલોર લઈ જવામાં આવ્યો હતો.

VHPના કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા પછી તેનો પાર્થિવ દેહ ગઈ કાલે તેના વતન મૅન્ગલોર લઈ જવામાં આવ્યો હતો.


કર્ણાટકમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તા સુહાસ શેટ્ટીની ગુરુવારે સાંજે હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ VHPએ બંધનું એલાન કર્યું હતું, જેને દક્ષિણ કન્નડ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાળવામાં આવ્યું હતું. બંધના એલાન પહેલાં જ પોલીસે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં દુકાનો પહેલેથી જ બંધ રાખવાનો આગ્રહ કર્યો હતો. જોકે આ દરમ્યાન અમુક વિસ્તારોમાં જાહેર બસ પર પથ્થરમારો કરવાની અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી હતી જેને કારણે અનેક બસસેવા બંધ કરવી પડી હતી.

આ ઘટના બાદ કર્ણાટક સરકારે આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. મુખ્ય પ્રધાને સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે જલદી હત્યારા સુધી પહોંચીને તેની ધરપકડ કરવામાં આવશે. આ મુદ્દે BJPના સંસદસભ્ય બ્રજેશ ચૌટાએ ગૃહપ્રધાન અમિત શાહને આ મામલાની તપાસ NIAને સોંપવાની માગણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2025 03:38 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK