Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મિલકતના હસ્તાંતરણ પર વેરાનો ભાર

મિલકતના હસ્તાંતરણ પર વેરાનો ભાર

Published : 24 July, 2024 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાને આવકવેરાનો નવો કોડ લાવવાની જાહેરાત કરી છે અને અપેક્ષા રાખીએ કે નવો કોડ અમલીકરણના પ્રશ્નોનો શક્ય એટલો બહેતર ઉકેલ લાવવાની કોશિશ કરશે

સ્નેહલ મુઝુમદાર

બજેટ મારી નજરે

સ્નેહલ મુઝુમદાર


કરવેરાના કાયદાની અસ્થિરતા, અસ્પષ્ટતા અને અન્યાયી અમલીકરણ સ્વયં એક કાતિલ અને કરપીણ કરવેરો છે. એ સંબંધે નાણાપ્રધાને આવકવેરાનો નવો કોડ લાવવાની જાહેરાત કરી છે અને અપેક્ષા રાખીએ કે નવો કોડ અમલીકરણના પ્રશ્નોનો શક્ય એટલો બહેતર ઉકેલ લાવવાની કોશિશ કરશે.


અંદાજપત્રમાં નવી યોજના હેઠળ આવકવેરાના દરના માળખામાં ફેરફાર કરી અને પગારદાર કરદાતા માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન પચીસ હજાર વધારી કરભારણ અંશતઃ હળવું કરવામાં આવ્યું છે, જે આવકારદાયક છે. કૅપિટલ ગેઇન્સની જોગવાઈઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કરવેરાના દર ઉપરાંત ઇન્ડેક્સેશનની નાબૂદી ખાસ કરીને મિલકતના હસ્તાંતરણ પર વેરાનો ભાર વધારશે. નવી કરવિવાદ યોજના કાનૂની જંગ કેટલા અંશે ઘટાડે છે એ જોવું રહ્યું. નાણાપ્રધાનનું કાર્ય સંતુલન જાળવવાનું હોય છે. એડમન્ડ બર્કે કહ્યું છે કે, `To tax and to please no more than to love and be wise is not given to men.`



 


- સ્નેહલ મુઝુમદાર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK