Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામમંદિરમાં હજારો વર્ષોથી પૂજા થાય છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ સ્પેશ્યલ ઉત્સવ કરવાનું કારણ શું?

રામમંદિરમાં હજારો વર્ષોથી પૂજા થાય છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ સ્પેશ્યલ ઉત્સવ કરવાનું કારણ શું?

09 February, 2024 10:00 AM IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમાજવાદી પાર્ટીના મહામંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આમ કહીને વિવાદ છેડ્યો

અયોધ્યા રામ મંદિર

અયોધ્યા રામ મંદિર


લખનઉ (પી.ટી.આઇ.) : સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પર સવાલ ઉઠાવીને ફરી વિવાદમાં આવ્યા છે. મૌર્યએ રામલલ્લાના અભિષેક સમારોહ પર પ્રશ્ન કરતાં એવું જણાવ્યું હતું કે જ્યારે અયોધ્યામાં હજારો વર્ષોથી ભગવાન રામની પૂજા થતી આવી છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા માટે કરોડો રૂપિયા ખર્ચવાની શું જરૂર હતી. બુધવારે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં મૌર્યના આ નિવેદનની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે આકરી ટીકા કરી હતી. તો સપાના નેતાઓએ પણ મૌર્યના નિવેદનને વખોડ્યું હતું. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી ૨૦૨૪માં સમાપ્તવાદી પાર્ટી બનવા જઈ રહી છે અને આ માટે અખિલેશ યાદવ જવાબદાર હશે. જો યાદવ કોઈના નિવેદન સાથે સહમત ન હોય તો તેમની (મૌર્ય) સામે કાર્યવાહી કરવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 10:00 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK