Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતિ, મોદી સહિતના લોકોએ કર્યું નમન

નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતિ, મોદી સહિતના લોકોએ કર્યું નમન

23 January, 2021 09:07 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતિ, મોદી સહિતના લોકોએ કર્યું નમન

નેતાજી સુભાષચન્દ્ર બોઝ

નેતાજી સુભાષચન્દ્ર બોઝ


મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચન્દ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ છે. કેન્દ્ર સરકારે તેમની 'જન્મજયંતિને પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન મોદી સહિતના અન્ય નેતાઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે 125મી જન્મજયંતિ વર્ષના સમારોહના શુભારંભ નિમિત્તે નેતાજી સુભાષચંદ્ર બોઝને સલામ કરી હતી. તેમના સાહસ અને બહાદુરીના સમ્માનમાં સમગ્ર રાષ્ટ્ર તેમની જન્મજયંતિને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવી રહ્યા છે. નેતાજીએ તેમના અસંખ્ય અનુયાયીઓમાં રાષ્ટ્રવાદની ભાવનાનું સંચાર કર્યું છે.

kovind-tweet



રાષ્ટ્રપતિ કોવિંદે એમ પણ કહ્યું હતું કે નેતાજી આપણા સૌથી પ્રિય રાષ્ટ્રીય નાયકોમાંના એક છે, જેમણે ભારતની સ્વતંત્રતા લડતમાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમની દેશભક્તિ અને બલિદાન આપણને હંમેશાં પ્રેરણારૂપ બનાવશે. તેમણે સ્વતંત્રતાની ભાવના પર ખૂબ ભાર મૂક્યો અને અમે તેને મજબૂત બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.


modi-tweet-9

દેશ હંમેશા બલિદાન અને સમર્પણને યાદ રાખશે - પીએમ મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના સાચા દીકરા નેતાજી સુભાષચન્દ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. કૃતજ્ઞ રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના બલિદાન અને સમર્પણને હંમેશા યાદ રાખશે.

naidu-tweet

નિ:સ્વાર્થ ત્યાગ અને પરાક્રમને નમન- વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ટ્વીટ કર્યું કે આપણી ફરજ છે કે આપણે આપણા લોહીથી સ્વતંત્રતાની કિંમત ચૂકવવી જોઈએ. જે આઝાદી આપણે આપણા ત્યાગ અને બલિદાનથી મેળવીશું, તે આપણે પોતાની તાકાતના બળ પર સુરક્ષિત રાખી શકીશું- નેતાજી સુભાષચન્દ્ર બોઝ. આજે નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતિ પર રાષ્ટ્ર માટે નિ:સ્વાર્થ ત્યાગ અને પરાક્રમને નમન.

amit-shah-tweet

રાષ્ટ્ર નેતાજીના પરાક્રમ અને સંઘર્ષ માટે સદૈવ ઋણી રહેશે- અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે નેતાજી સુભાષચન્દ્ર બોઝના સાહસ અને પરાક્રમે ભારતીય સ્વતંત્રતા સંગ્રામને નવી શક્તિ પ્રદાન કરી. તેમણે પ્રતિકૂળ સંજોગોમાં તેમના પ્રભાવશાળી નેતૃત્વ સાથે દેશની યુવા શક્તિને સંગઠિત કરી. સ્વતંત્રતા ચળવળના આવા મહાન નાયકની 125 મી જન્મજયંતિ પર તેમને કોટિ-કોટિ નમન. આખો રાષ્ટ્ર કાયમ નેતાજીની બહાદુરી અને સતત સંઘર્ષનું ઋણી રહેશે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મજયંતિને 'પરક્રમ દિવસ' તરીકે ઉજવીને અભૂતપૂર્વ શ્રદ્ધાંજલિ આપી છે. હું બધા દેશવાસીઓને પરાક્રમ દિવસની શુભકામનાઓ આપું છું.

નેતાજીના મહાન વિચારો હજી પણ આપણા બધાને પ્રેરણા આપે છે - કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાની નેતાજી સુભાષચન્દ્ર બોઝ જીની 125 મી જન્મજયંતિ નિમિત્તે તેમને કોટિ-કોટિ નમન. દેશ પ્રત્યે નેતાજીના મહાન વિચારો આજે પણ આપણા બધાને પ્રેરણા આપે છે.

પ્રકાશ જાવડેકરે કર્યું નમન

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે 'તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા...! જય હિન્દ, આ ભારતનું રાષ્ટ્રીય સૂત્રધાર બનાવનારા મહાન પરાક્રમી, ક્રાંતિકારી નેતાજી સુભાષચન્દ્ર બોઝ જીની 125મી જન્મજયંતિ પર શત-શત નમન અને તમામ દેશવાસીઓના પરાક્રમ દિવસની શુભેચ્છાઓ.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 09:07 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK