Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખડગેએ ધનખડને કહ્યું, ‘સંસદસભ્યોને ઇરાદાપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે’

ખડગેએ ધનખડને કહ્યું, ‘સંસદસભ્યોને ઇરાદાપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે’

Published : 26 December, 2023 09:45 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે મુલાકાત માટેના રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડના આમંત્રણ માટે ના પાડી દીધી હતી.

કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે


નવી દિલ્હી : કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે મુલાકાત માટેના રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડના આમંત્રણ માટે ના પાડી દીધી હતી. તેમણે એ માટે કહ્યું હતું કે પોતે દેશની રાજધાનીમાં નથી. એક લેટરમાં તેમણે એમ જણાવ્યું કે વિરોધ પક્ષના સંસદસભ્યોને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા એ ખૂબ જ સમજીવિચારીને લેવામાં આવેલું ઇરાદાપૂર્વક પગલું છે તેમ જ સામાન્ય સંસદીય કાર્યવાહીને ખોરવી નાખવા માટે શાસક પાર્ટી દ્વારા વિચારપૂર્વકની સત્તાનો મિસયુઝ કરવાની સ્ટ્રૅટેજી છે. ખડગેએ એક મીટિંગ માટે તેમને આમંત્રણ આપતાં ધનખડના બીજા લેટરના જવાબમાં આમ જણાવ્યું હતું. ધનખડે તેમના લેટરમાં જણાવ્યું હતું કે સંસદમાં ઇરાદાપૂર્વકનું અને સ્ટ્રૅટેજી બનાવીને અશાંતિ ફેલાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2023 09:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK