ગઈ કાલે પોતાના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી.
કંગના રનૌત
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતને BJPએ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ટિકિટ આપી છે ત્યારે તેણે ગઈ કાલે પોતાના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી. રોડશો દરમ્યાન તેણે જય શ્રીરામના નારા સાથે શરૂઆત કરીને લોકોને જણાવ્યું હતું કે વિકાસ એ BJPનો મુખ્ય એજન્ડા છે. મંડીના ભામ્બલા શહેરમાં જન્મેલી અને ચાર વખત નૅશનલ અવૉર્ડ વિજેતા અભિનેત્રીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. BJP કાર્યકર્તાઓએ કંગના પર પુષ્પવર્ષા કરીને ઢોલના તાલે તેનું સ્વાગત કર્યું હતું. કંગનાએ રોડશો દરમ્યાન કહ્યું કે ‘PM મોદીના માર્ગદર્શન હેઠળ અમે ચૂંટણી જીતવામાં કોઈ કસર બાકી નહીં રાખીએ. મંડીના લોકો જ કહેશે તેમના હૃદયમાં શું છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)