Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો હું તમારા ઘરનું નામ બદલું તો શું એ ઘર મારું થઈ જશે?

જો હું તમારા ઘરનું નામ બદલું તો શું એ ઘર મારું થઈ જશે?

03 April, 2024 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના પ્રવાસે ગયેલા વિદેશપ્રધાને સુરતમાં આ વાત કહી હતી

એસ. જયશંકરે

એસ. જયશંકરે


વિદેશપ્રધાન એસ. જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને નકારી કાઢ્યો હતો. હાલમાં ચીનની સરકારે અરુણાચલ પ્રદેશની ૩૦ વિવિધ જગ્યાનાં નામ બદલી નાખ્યાં હતાં. આ મુદ્દે પૂછવામાં આવતાં જયશંકરે વળતો સવાલ કર્યો હતો કે ‘જો હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું એ મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને હંમેશાં રહેશે એ સ્પષ્ટ છે. નામ બદલવાથી કશું વળવાનું નથી. લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર આપણું સૈન્ય તહેનાત છે.’  ગુજરાતના પ્રવાસે ગયેલા વિદેશપ્રધાને સુરતમાં આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને ‘ઝંગનાન’ નામે ઓળખાવે છે અને આ વિસ્તાર દક્ષિણ તિબેટના ભાગરૂપ હોવાનો દાવો કરતું આવ્યું છે. 

સલામતી પરિષદમાં ભારતનું સ્થાન નક્કી છે
મંગળવારે રાજકોટમાં વિદેશપ્રધાન જયશંકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં ભારત અચૂક સ્થાન મેળવશે, જોકે એ માટે આપણા દેશે વધુ મહેનત કરવાની રહેશે. રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકો સાથેની ચર્ચા દરમ્યાન એક સવાલના જવાબમાં વિદેશપ્રધાને આ વાત કહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK