Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અખિલેશ યાદવને સીબીઆઇનું તેડું : ગેરકાયદે માઇનિંગ કેસમાં પૂછપરછ થશે

અખિલેશ યાદવને સીબીઆઇનું તેડું : ગેરકાયદે માઇનિંગ કેસમાં પૂછપરછ થશે

29 February, 2024 10:22 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યાદવ ૨૦૧૨થી ૨૦૧૩ના જૂન દરમ્યાન માઇનિંગ ડિપાર્ટમેન્ટનો અખત્યાર સંભાળતા હતા

અખિલેશ યાદવ

અખિલેશ યાદવ


નવી દિલ્હી : ગેરકાયદે માઇનિંગ કેસમાં સીબીઆઇએ સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવને સાક્ષી તરીકે બોલાવ્યા છે. એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ​અખિલેશ યાદવની ૨૯ ફેબ્રુઆરીએ પૂછપરછ કરવામાં આવશે. યાદવ ૨૦૧૨થી ૨૦૧૩ના જૂન દરમ્યાન માઇનિંગ  ડિપાર્ટમેન્ટનો અખત્યાર સંભાળતા હતા. ઉત્તર પ્રદેશના સાત જિલ્લા શામલી, કૌશંબી, ફતેહપુર, દેવરિયા, સહરાનપુર, હમીરપુર અને સિદ્ધાર્થનગરમાં ગેરકાયદે માઇનિંગના કેસો જાણવા મળ્યા હતા. સરકારી અ​ધિકારીઓએ ૨૦૧૨ અને ૨૦૧૬ના વર્ષ દરમ્યાન નિયમોના ઉલ્લંઘન દ્વારા અમુક ગેરકાયદે માઇનિંગ સાઇટની ફાળવણી કરી હતી, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના ઉલ્લંઘનમાં માઇનિંગ રાઇટ્સ પણ આપવામાં આવ્યા હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

29 February, 2024 10:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK