Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મણિપુરમાં વંશીય હિંસાનો ફાયદો મેળવી રાષ્ટ્રવિરોધી કાવતરાના આરોપીની ધરપકડ

મણિપુરમાં વંશીય હિંસાનો ફાયદો મેળવી રાષ્ટ્રવિરોધી કાવતરાના આરોપીની ધરપકડ

Published : 01 October, 2023 09:26 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ દેશની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના કાવતરાના મામલે ગઈ કાલે સેમિનલુન ગંગટે નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


નવી દિલ્હી ઃ એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ દેશની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના કાવતરાના મામલે ગઈ કાલે સેમિનલુન ગંગટે નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તે મ્યાનમાર અને બંગલાદેશનાં આતંકવાદી સંગઠનોના નેતૃત્વમાં રચવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ છે. મણિપુરમાં અત્યારની વંશીય હિંસાનો ફાયદો મેળવીને આ કાવતરું રચવામાં આવ્યું હતું. એનઆઇએએ ૧૯ જુલાઈએ દિલ્હીમાં આ કેસ દાખલ કર્યો હતો. ગંગટે મણિપુરના ક્વાક્ટામાં ૨૨ જૂને થયેલા કાર બૉમ્બ બ્લાસ્ટનો પણ મુખ્ય આરોપી છે. આ આતંકવાદી સંગઠનો મણિપુરના ઉગ્રવાદીઓને હથિયારો પૂરા પાડે છે. આ જ કેસમાં આ પહેલા એક ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી છે. મોઇરાંગથેમ આનંદ સિંહ નામના આ ઉગ્રવાદીની ૨૪મી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2023 09:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK