Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલે બંગલો ખાલી કર્યા બાદ કહ્યું કે સાચું બોલવાની આ કિંમત છે

રાહુલે બંગલો ખાલી કર્યા બાદ કહ્યું કે સાચું બોલવાની આ કિંમત છે

23 April, 2023 10:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં તેમનું ઑફિશ્યલ નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ સચ્ચાઈ બોલવા બદલ કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


નવી દિલ્હીઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં તેમનું ઑફિશ્યલ નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ સચ્ચાઈ બોલવા બદલ કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છે. રાહુલે જાતે જ બંગલાના દરવાજાને લૉક કર્યું હતું અને લોકસભાના સ્ટાફને ચાવી આપી હતી. 
તેઓ ૨૦૦૫થી ૧૨ તુઘલક લૅન ખાતે સરકારી બંગલોમાં રહેતા હતા. તેમને ગુજરાતના સુરતમાં એક અદાલત દ્વારા બદનક્ષીના કેસમાં દોષી ગણાવાયા અને બે વર્ષ કેદની સજા કરવામાં આવ્યા બાદ ગયા મહિનામાં તેમનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 
રાહુલે તેમના બંગલાની બહાર મીડિયાને જણાવ્યું હતું કે ‘હિન્દુસ્તાનના લોકોએ ૧૯ વર્ષ આ ઘર મને આપ્યું હતું. હું તેમનો આભાર માનું છું. સચ્ચાઈ બોલવાની આ કિંમત છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2023 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK