આૅપરેશન સિંદૂર પછી ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ લખ્યું...
ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે
પહલગામ આતંકવાદી હુમલાના ૧૫ દિવસ બાદ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓ પર ઑપરેશન સિંદૂર ચલાવીને ભારતે બદલો લીધો છે ત્યારે ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, પિક્ચર અભી બાકી હૈ. ભૂતપૂર્વ આર્મી ચીફની આ પોસ્ટથી લોકો વિચારમાં પડી ગયા છે. સૂત્રો જણાવે છે કે ભારતીય સુરક્ષા દળો દ્વારા ફરી એક વાર પાકિસ્તાન પર કાર્યવાહી થઈ શકે એમ છે. જોકે આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

