Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેપાલમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૪૧ લોકોનાં મૃત્યુ

નેપાલમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૪૧ લોકોનાં મૃત્યુ

Published : 06 October, 2025 08:20 AM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે ઉત્તર બંગાળ અને પૂર્વીય નેપાલમાં અસાધારણ વરસાદ વરસ્યો હતો.

કાઠમંડુને જોડતો નૅશનલ હાઇવે જળભરાવને કારણે શનિવારે સંપૂર્ણપણે બંધ રહ્યો હતો

કાઠમંડુને જોડતો નૅશનલ હાઇવે જળભરાવને કારણે શનિવારે સંપૂર્ણપણે બંધ રહ્યો હતો


છેલ્લા બે દિવસથી નેપાલમાં મુશળધાર અને લગાતાર વરસાદ થવાથી જબરદસ્ત જળપ્રકોપ થયો છે. પૂર, ભૂસ્ખલન અને કાટમાળમાં દટાવાથી નેપાલના કોશી, મધેશ, બાગમતી, ગંડકી અને લુમ્બિની વિસ્તારોમાં લગભગ ૫૧ લોકોનાં મૃત્યુ થયાં છે અને વીસથી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવારે બપોર સુધીમાં નેપાલ પોલીસના રિપોર્ટ મુજબ સૌથી વધુ નુકસાન કોશી પ્રદેશમાં થયું છે. આ વિસ્તારમાં જ ૩૭ લોકોનાં મૃત્યુ થયાં છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે ઉત્તર બંગાળ અને પૂર્વીય નેપાલમાં અસાધારણ વરસાદ વરસ્યો હતો.

કાઠમંડુને જોડતો નૅશનલ હાઇવે જળભરાવને કારણે શનિવારે સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. જોકે રવિવારે બપોરે થોડા સમય માટે મોસમ સાફ થતાં ઇમર્જન્સી વાહનો કે સામાનની અવરજવર કરતી ટ્રકો ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. રાતે ફરીથી નૅશનલ હાઇવે પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2025 08:20 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK