ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS કોલકાતા 23 માર્ચે 35 પકડાયેલા સોમાલી ચાંચિયાઓને ભારત લાવ્યું હતું. કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની યોગ્ય ઔપચારિકતાઓ બાદ તમામ 35 સોમાલીયન ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસને સોંપ્યા બાદ લૂંટારાઓને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.