મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 15 એપ્રિલે રાયગઢમાં બસ દુર્ઘટના થઈ હતી તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, “આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. બ્લેક સ્પોટ્સની ઓળખ કરીને તેના પર કામ કરવામાં આવશે. મેં પોતે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી છે.” અગાઉ, સીએમ શિંદે 15 એપ્રિલના રોજ રાયગઢમાં થયેલા બસ અકસ્માતના પીડિતોને મળવા કલંબોલીની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. આ ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો.