Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક માત્ર ૩૦ ટકા, છતાં પાણીકાપ નહીં મુકાય

મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક માત્ર ૩૦ ટકા, છતાં પાણીકાપ નહીં મુકાય

04 April, 2024 07:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો પાણીનો સંગ્રહ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં સાત જળાશયોમાં એકત્રિત પાણીનો સંગ્રહ ૩૦ ટકા સુધી આવી જવા છતાં પણ મહાનગરપાલિકા પાણીકાપ મૂકવાના મૂડમાં નથી અને એમ માને છે કે આ પુરવઠો ૩૧ જુલાઈ સુધી ચાલી શકે એમ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો પાણીનો સંગ્રહ છે. ફેબ્રુઆરીમાં આ સંગ્રહ ૪૯.૩ ટકા અને માર્ચમાં ૩૪.૫ ટકા હતો અને એ સતત ઘટી રહ્યો છે. 
મંગળવાર સુધીની વાત કરવામાં આવે તો સાત જળાશયોમાં કુલ ૪.૩ લાખ મિલ્યન લીટર પર ડે (MLD) પાણીપુરવઠો છે, જે કુલ સંગ્રહ-ક્ષમતા ૧૪.૪૭ લાખ MLDના ૩૦ ટકા જેટલો છે. રાજ્યના સિંચાઈ વિભાગે ભાત્સા અને અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકનો પણ ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. આથી જૂન સુધી મુંબઈને પાણીપુરવઠાની સમસ્યા નથી. ૨૦૨૩માં મૉન્સૂનની શરૂઆત મોડી થઈ હતી એટલે મહાનગરપાલિકાએ પહેલી જુલાઈએ ૧૦ ટકા પાણીકાપ મૂક્યો હતો, પણ ઑગસ્ટ સુધીમાં ૧૧.૮ લાખ MLD પાણીપુરવઠો એકઠો થતાં પાણીકાપ દૂર કરાયો હતો. ઑક્ટોબર સુધીમાં જળાશયોમાં પાણીપુરવઠો ૯૯.૨ ટકા સુધી પહોંચી ગયો હતો.             


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK