પૂજા ચવાણ મૃત્યુ કેસ
પૂજા ચવાણ મૃત્યુ કેસ
પુણેની પૂજા ચવાણ મૃત્યુ કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) કે સીબીઆઇને સોંપવાની માગણી મહારાષ્ટ્ર બીજેપીનાં ઉપપ્રમુખ ચિત્રા વાઘે કરી હતી.
બીડ જિલ્લામાં રહેતી ૨૩ વર્ષની પૂજા ચવાણ ૮ ફેબ્રુઆરીએ પુણેના હડપસરસ્થિત તેના રહેઠાણના બિલ્ડિંગમાંથી પડી જઈને મૃત્યુ પામી હતી. અગાઉ બીજેપીએ આ કેસમાં ભૂતપૂર્વ પ્રધાન સંજય રાઠોડની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી, જેના પગલે તેમણે રાજીનામું આપ્યું હતું. આ મામલે બીજેપીએ મુંબઈ હાઈ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી કેસની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરવા કે સીબીઆઇને તપાસ સોંપવાની માગણી કરી હતી.